નવીનીકરણ અને વ્યવસાય

1 આઇપીઆર

બૌદ્ધિક સંપદા અધિકાર (IPR) ઇનોવેશન માટે ફરજિયા છે. આ એક જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થાનો પાયો છે. તે નવ-આવિષ્કાર અને અધિકારોનો મેળ છે. તે આપણી અર્થવ્યવસ્થાના તમામ ક્ષેત્રોમાટે માન્ય છે અને કોઇ પણ ઉદ્યોગની કુશળતાને સુનિશ્ચિત કરવા માટે રોજ વધુને વધુ મહત્વપૂર્ણ બનતા જઇ રહ્યા છે. IPR નો હેતુ છે ઉદ્યોગસાહસિક/શોધકર્તાને તેની શોધની સુરક્ષા કરવાના કાનૂની અધિકાર પ્રદાન કરવા અને સાથે જ, અન્યને ગેરકાયદે રૂપે તે શોધનું શોષણ કરતા રોકવા, અને ફળ સ્વરૂપે એક જ વસ્તુની ફરીવાર શોધને રોકવી.

આવિષ્કારો કે શોધના સંરક્ષણ માટે IPR ના વિભિન્ન સાધનો:-

  • કોપીરાઈટ: તે રચનાત્મક કાર્ય, જેવા કે સંગીત, લેખન, કલા, વ્યાખ્યાન, નાટક, પ્રતિકૃતિઓ, મોડલ, ફોટો, કમ્પ્યુટર સૉફ્ટવેર વગેરેના સંરક્ષણ સાથે સંબંધિત છે.
  • પેટન્ટ: તે વ્યવહારિક ઇનોવેશન સાથે સંબંધિત છે અને તેનું લક્ષ્ય શ્રેષ્ટ, અસ્પષ્ટ અને ઉપયોગી શોધની રક્ષા કરવાનું છે.
  • ટ્રેડમાર્ક: તે કોમર્શિયલ ચિન્હો સાથે સંબંધિત છે અને વિશિષ્ટ અંકોને સંરક્ષિત કરે છે, જેમ કે શબ્દ/ચિન્હ, જેવા વ્યક્તિગત નામ, અક્ષર, આંકડા, અલંકારિક તત્વ (લોગો) ડિવાઇસ, વિશિષ્ટ રૂપે દેખાતા 2ડી કે 3ડી ચિન્હ/આકાર અથવા તેમનો મેળ, વિશિષ્ટ રીતે સંભળાતા ચિન્હ (સાઉન્ડ માર્ક), જેમ કે કોઇ પશુનો અવાજ અથવા કોઇ શિશુનં હાસ્ય, વિશેષ રૂપે સૂંધવામાં આવતા ચિન્હ (સ્મેલ માર્ક, કોઇ સુંગધનો ઉપયોગ.
  • ઔદ્યોગિક ડિઝાઇન: તે માત્ર નજરથી વિશિષ્ટ રૂપે દેખાનાર અને સમીક્ષા કરાનાર, ઔદ્યોગિક અથવા મેન્યુઅલ કે મિકેનિકલ અથવા કેમિકલ પ્રક્રિયા (અથવા તેમના મેળથી) થી તૈયાર કરાનાર 2ડી કે 3ડી વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવતા રંગ અથવા લાઇનોના આકાર, વ્યવસ્થા, પેટર્ન, અલંકરણ અથવા રચના કરવામાં આવેલી બિન-કાર્યાત્મક વિશેષતાઓનું સંરક્ષણ કરે છે.
  • ભૌગૌલિક સંકેત (GI): આ ઔદ્યોગિક પ્રોપર્ટીનું તે પાસું છે, જે પ્રોડક્ટના નિર્માણના સ્થાન કે દેશ સાથે સંબધિત હોય છે. સામાન્ય રીતે, આ સંબંધથી પ્રોડક્ટની ક્વોલિટી અને વિશિષ્ટતા પર વિશ્વાસ વધે છે, જે માત્ર તેના નિર્માણના સ્થળ, ક્ષેત્ર, દેશ વગેરેથી ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે, આવુ નામ પ્રોડક્ટની ગુણવત્તા અને અન્યથી અલગ ઓળખનું આશ્વાસન આપે છે, જે તે વ્યાખ્યાઇત ભૌગૌલિક વિસ્તાર, ક્ષેત્ર અથવા દેશમાં તેના ઉદ્ભવને આભારી હોય છે.

બૌદ્ધિક સંપદા અધિકારો હંમેશા પ્રાદેશિક હોય છે. વૈશ્વિકરણ અને ટેક્નોલોજીના ઝડપી પ્રસારે બૌદ્ધિક સંપદા અધિકારના મહત્વને વધાર્યુ છે. 

2 બૌદ્ધિક સંપદા અધિકાર કાયદા અને નિયમો

ભારત, વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યૂટીઓ)નો સંસ્થાપક સભ્ય છે અને આપણે બૌદ્ધિક સંપદા અધિકારોના વેપાર સંબંધિત પાસાઓ પરની સમજૂતી (ટ્રિપ્સ)ને મંજૂરી આપી છે. સમજૂતી અનુસાર, ભારત સહિતના તમામ સભ્ય દેશોએ, પરસ્પર નક્કી કરવામા આવેલા નિયમો અને માપદંડોનું પાલન, નિયત સમય-મર્યાદાની અંદર કરવાનું રહેશે. તે પ્રમાણે, ભારતે એક બૌદ્ધિક સંપદા અધિકાર પ્રણાલી તૈયાર કરી છે, જે ડબલ્યૂટીઓને અનુકૂલ છે, અને બંધારણિય, વહીવટી અને ન્યાયિક રૂપે પ્રમાણિત છે.

સરકારે વ્યુહાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને બૌદ્ધિક સંપદા તંત્રને યુવ્યવસ્થિત કરવા માટે ઘણા બધા સર્વગ્રાહી પગલા ભર્યા છે. DIPP હેઠળ કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ ટ્રેડ માર્ક્સ (CGPDTM)એ નોડલ ઓથોરિટી છે, જે પેટન્ટ, ડિઝાઇન, ટ્રેડમાર્ક્સ, અને ભૌગૌલિક સંકેતો સંબંધિત બાબતોનું નિયમન કરે છે અને કામકાજ પર નજર રાખે છે :-

  1. પેટન્ટ ઓફિસ (ડિઝાઇન શાખા સહિત)
  2. પેટન્ટ ઇનફરમેન્ટ સિસ્ટમ (PIS)
  3. ટ્રેડમાર્ક રજિસ્ટ્રી (TMR), અને
  4. ભૌગૌલિક સંકેત રજિસ્ટ્રી (GIR)

તે સિવાય, માનવ સંસાધન વિકાસ મંત્રાલયના શિક્ષણ વિભાગમાં એક કોપીરાઇટ ઓફિસ બનાવાઇ છે, જ્યાં કોપીરાઇટ અને સંબંધિત અધિકારોની રજિસ્ટ્રી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ઇન્ટીગ્રેટેડ સર્કિટના લેઆઉટ ડિઝાઇન સાથે સંબંધિત મામલા માટે ઇન્ફરમેશન ટેક્નોલોજી મંત્રાલયનો આઇટી વિભાગ કેન્દ્રીય સંસ્થા છે. કૃષિ મંત્રાલયનો છોડની પ્રજાતિઓનું સંરત્રણ અને ખેડુત અધિકાર પ્રાધિકરણ વિભાગ છોડની પ્રજાતિઓ સંબંધિત નીતિઓ અને ઉપાયોનું નિયમન કરે છે.

ભારતમાં બૌદ્ધિક સંપદા (IPR) સંબંધિત ખરજા/કાયદા: -

એ0 ટ્રેડ માર્ક કાયદો, 1999

બી) જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ (રજિસ્ટ્રેશન અને પ્રોટેક્શન) એક્ટ 1999

સી) ડિઝાઇન્સ એક્ટ, 2000

ડી) પેટન્ટ્સ એક્ટ, 1970 અને 2002 અને 2005માં તેમાં થયેલા સુધારા

ઇ) ભારતીય કોપીરાઇટ એક્ટ, 1957 અને સંશોધિત કોપીરાઇટ (સુધારો) એક્ટ, 1999

એફ) સેમીકન્ડક્ટર ઇન્ટિગ્રેડેટ સર્કિટ લેઆઉટ ડિઝાઇન એક્ટ,2000

જી. સેમિકન્ડક્ટર ઈન્ટિગ્રેટેડ સર્કિટ લેઆઉટ ડિઝાઇન અધિનિયમ, 2000

3 ટ્રિપ્સ

વેપાર સંબંધિત બૌદ્ધિક સંપદા અધિકારને લગતો કરાર (ટ્રિપ્સ) આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ સિસ્ટમમાં પહેલીવાર બૌદ્ધિક સંપદા અધિકારને લગતા કાયદા લવાયા છે. આ કરાર વિશ્વભરમાં બૌદ્ધિક સંપદા અધિકારો (આઈપીઆરએસ)ના સંરક્ષણ અને પ્રવર્તન સંબંધિત મતભેદોને, તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સામાન્ય લઘુત્તમ વેપાર માપદંડોને આવરી લઇને, ઘટાડે છે. સભ્ય દેશોએ આ માપદંડોનું નિયત સમયમર્યાદામાં પાલન કરવું અને આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગમાં આવતા અંતરાયો અને સમસ્યાઓને ઘટાડવા માટે બૌદ્ધિક સંપદા અધિકારોને પ્રભાવશાળી રીતે અનુપાલન કરવા બંધાયેલા રહેશે.