વારંવાર પૂછાતા પ્રશ્નો (એફએક્યુ)

1 શું ભારતમાં એલએલપીને બંદ કરવું શક્ય છે?

હા, કોઈપણ એલએલપી નીચેની બે રીતોમાંથી કોઇપણ અપનાવીને ભારતમાં તેના વ્યવસાયને બંધ કરી શકે છે:

1. એલએલપીને નિષ્ક્રિય જાહેર કરવું: જો એલએલપી તેના વ્યવસાયને બંધ કરવા માંગે છે અથવા જ્યાં તે એક વર્ષ અથવા તેનાથી વધુ સમયગાળા માટે કોઈ વ્યવસાયિક કામગીરી નથી કરી રહી, તો તે એલએલપીને નિષ્ક્રિય જાહેર કરવા અને તેના એલએલપીના નોંધણીમાંથી એલએલપીનું નામ હટાવવા માટે નોંધણી કરનારને અરજી કરી શકે છે.

2. એલએલપીનું સમાપન: તે પ્રક્રિયા છે જ્યાં વ્યવસાયની તમામ સંપત્તિઓને તેની જવાબદારીઓને પહોંચી વળવા માટે નિકાલ કરવામાં આવે છે અને કોઈપણ વધારાની રકમ માલિકોમાં વિતરિત કરવામાં આવે છે. એલએલપી બંધ કરવાની વિગતો નીચેની લિંકથી જોઈ શકાય છે- (http://www.mca.gov.in/LLP/CloseCompany.html) એલએલપી એલએલપી અધિનિયમ અને નિયમોને આધિન છે તે નીચેની લિંક્સ (http://www.mca.gov.in/Ministry/actsbills/pdf/LLP_Act_2008_15jan2009.pdf) અને (http://www.mca.gov.in/Ministry/pdf/LLPRulesasnotified.pdf) માંથી જોઈ શકાય છે . તાજેતરમાં RBI એ LLP- (http://www.rbi.org.in/scripts/NotificationUser.aspx?Id=8844&Mode=0) માં વિદેશી રોકાણ માટેની જોગવાઈને પણ સૂચિત કરી છે) LLP ને બોર્ડ મીટિંગ્સ, AGM વગેરેની જરૂર નથી.

2 શું એમસીએ પોર્ટલ પર ડીએસસીની નોંધણી માટે કામચલાઉ ડીઆઇએનનો ઉપયોગ કરી શકાય છે?

ના, નિયામક પાસે એમસીએ પોર્ટલ પર ડીએસસીની નોંધણી કરવા માટે એક માન્ય ડીઆઇએન હોવું આવશ્યક છે.

3 ભારતીય કંપનીઓના વિદેશી નિયામકો એમસીએ પોર્ટલ પર તેમના ડીએસસીની નોંધણી કેવી રીતે કરશે?

વિદેશી નિયામકો માટે ભારતીય પ્રમાણન અધિકારી પાસેથી ડિજિટલ સહીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે પ્રમાણન અધિકારીઓની સૂચિ એમસીએ પોર્ટલ પર ઉપલબ્ધ છે).. ડીએસસીની નોંધણીની પ્રક્રિયા અન્ય માટે લાગુ પડે તે સમાન છે.

4 જે સમયગાળા દરમ્યાન એલએલપીની રચના માટે માન્ય નામ ઉપલબ્ધ રહે છે, તે સમયગાળો કેટલો છે? અથવા એલએલપીના માન્ય નામની માન્યતા અવધિ કેટલી છે?

એલએલપીનું માન્ય નામ માન્યતાની તારીખથી 3 મહિનાના સમયગાળા સુધી માન્ય રહેશે.. જો પ્રસ્તાવિત એલએલપીનું આવા સમયગાળાની અંદર સંસ્થાપન નથી થતું, તો તે નામની મુદ્દત વીતી જશે અને તે અન્ય અરજદાર/ એલએલપી માટે ઉપલબ્ધ રહેશે.. કૃપા કરીને નોંધો કે નામના નવીકરણ માટેની કોઈ જોગવાઈ હશે નહીં.

5 નવા ભાગીદારોની નિમણૂક/એલએલપીમાંથી હાલના ભાગીદારોના રાજીનામાંના કિસ્સામાં રજિસ્ટ્રારને કયા ફોર્મ્સ ભરી આપવા જરૂરી છે?

નવા ભાગીદારોની નિમણૂક/ હાલના ભાગીદારોના રાજીનામાંના માટે ઇ-ફોર્મ 3 અને ઇ-ફોર્મ 4, એ આવા કામ બંદ કરવા અથવા નિમણૂકના ત્રીસ દિવસની અંદર વગર કોઈ વધારાની ફી સાથે, ભરવાનું રહેશે અને ત્યારબાદ વધારાની ફી સાથે ભરી શકાશે.

6 કંપનીની નોંધણી પહેલાં કોઈ નામને કેવી રીતે અનામત રાખી શકાય?

નામને અનામત રાખવા માટે એસપીઆઈસીઇ (આઇએનસી-32) દાખલ કરતા પહેલા, તમે આઇએનસી- 1 (જેમાં 6 સુધી નામો પ્રસ્તાવિત કરી શકાય છે) નો ઉપયોગ કરી શકો છો અને ત્યારબાદ માન્ય આઇએનસી 1 ના એસઆરએનને એસપીઆઈસીઇમાં દાખલ કરી શકો છો.